વ્યક્તિ-વિશેષ

વડગામના સ્વ. શ્રી હરજીવનભાઇ ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.

Harjivandas-1

વડગામ નિવાસી સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજક પ્રથમ પંક્તિના જૈન સંગીતકાર તરીકે સમગ્ર દેશમાં નામના મેળવી હતી. બચપણથી સંગીતનો ભારે શોખ પણ નાની ઉંમરે હરજીવનદાસે પિતાની છત્રછાયા ગુમાવી જેન કારણે ઘણી નાની ઉંમર માં તેઓશ્રી એ ઘરની જવાબદારી ઉપાડવી પડી પરિણામે પાંચમાં ધોરણ પછી અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. એકાએક આવી પડેલી આકસ્મિક જવાબદારીને પહોંચી વળવા તેમણે નાયક કંપનીમાં જોડાઈ હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું. સંગીતમાં પોતાની પકડ મજબૂત બનતા ધીમે ધીમે જૈન ધર્મમાં ભક્તિ-સંગીતના કાર્યક્રમો કરવાનું શરૂ કર્યું અને એમાં પારંગત થઈ જૈન સંગીતકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. જૈન પરંપરામાં ભક્તિ સંગીતનો દિવ્ય મહિમા છે. જિનાલયમાં પ્રવેશ કરીએ અને કોઈએ મધુર સ્વરમાં ગાતું હોય ત્યારે આકાશમાંથી વરસતા વરસાદની ભીની થયેલી માટીનો સુંગધીદાર અનુભવ થાય અને આનુભવ કરવાની ક્ષમતા વડગામના સ્વ.શ્રી હરજીવનદાસ ભોજકમાં કુદરતે આશિર્વાદરૂપે વરસાવી હતી.

Harjivandas-2

માત્ર પાચં ધોરણ સુધીનું શાળાકીય શિક્ષણ મેળવ્યું હોવા છતાં સ્વબળે સંગીતમાં ઉચ્ચતમ પ્રવિણતા મેળવી ભારત ના અલગ અલગ રાજ્યો ના મુખ્ય શહેરો જેવા કે કલકત્તા ,મુંબઈ ,બેંગલોર ,ઉજ્જેન , સોલાપુર – કોલ્હાપુર વગેરે જગ્યાઓએ પોતાની સંગીત પ્રતિભાને ઉત્તમ રીતે ઉજાગર કરી જૈન સંગીતરસિકોની ખૂબ પ્રસંશા હાંસલ કરી. જૈન મુનિ આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજની તેમના ઉપર વિશેષ કૃપા હતી. મુનિ આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજીને હરજીવનદાસની ગાયકી અતિ પસંદ હતી. સ્વ.શ્રી હરજીવનદાસે વિપરીત સંજોગોના લીધે સંગીતની કોઈ વિશેષ તાલીમ ન લીધી હોવા છતાં તેઓ શાસ્ત્રીય સંગીત પણ ખૂબ સુંદર રીતે ગઈ શકતા હતા. શાસ્ત્રીય અને દેશી રાગમાં ગાઈને તેમણે ભક્ત હ્રદય ને છલકાવી દીધા હતા. એમની એ ખૂબી હતી કે કોઈ સંગીતકારે જે ગીતની ધૂન બનાવી હોય એ ગીતની ધૂન પોતાની રીતે સરળ બનાવી ગાઈ શકતા જેથી બીજા લોકો પણ એમની સાથે ગાઈ શકે. એ સમયના જૈન ધર્મના મોટાભાગના દરેક સંગીતકારો સાથે કામ કરેલું. મધુર કંઠ અને શબ્દ પાસેથી કામ લેવાની તેમની અનોખી કળા તેમને ક્યારેય ભૂલવા નહી દે.

Harjivandas-4

સ્વ. શ્રી હરજીવન ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી. સ્વ. શ્રી એ સંગીત સાધના કરીને જે દિવ્યતા છલકાવી હતી તેણે ભક્તોના હર્દય ને ધર્મના અમૃતથી ભરી દીધું હતું. દેશી ઢાળ માં ગવાતા સ્તવનો લોકાકંઠમ ચિરંજીવ થઈ ગયા તેનું કારણ ગીતની સરળતા અને રજૂઆતની મધુરતામાં હતી અને આ કળા આપણા સો ના ગૌરવરૂપ સંગીતસમ્રાટ સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજકની હાથવગી હતી. ઉત્કૃષ્ટ સંગીતકાર તરીકે તેઓ શ્રીનું અનેકવાર સન્માન કરેલુ. સ્વ. શ્રી આજે તો રહ્યા નથી પણ તેમણે જે મધુર ગાન કરેલું તે અનેકો ના હ્રદયમાં ગૂંજે છે અને તેમની નોધ ગુજરાત સમાચાર ની કોલ,મ્ આંખ છીપ અંતર મોતી કોલમ માં પણ આચાર્ય શ્રી વાત્સલ્યદીપસૂરિજી એ લઈને અપણને આપણા વડગામની ધરતીના પનોતા પુત્ર સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજકનો સુપેરે પરીચય કરાવ્યો છે જે માટે આચાર્યશ્રીનો વંદન સહ આભાર.

Harjivandas-3

WWW.VADGAM.COM સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજકની ગૌરવપ્રદ સંગીતયાત્રાને યાદ કરી સંગીત જગતમાં વડગામ પંથકને ગૌરવ અપાવવા બદલ યાદ કરી તેઓશ્રીના ચરણકમળોમાં શ્રધાંજલી અર્પે છે.

  • નિતિન એલ.પટેલ (વડગામ)
    www.vadgam.com

નોંધ :- સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજકના ગાયેલા ગીતો ના કોઇ વાંચક પાસે ઓડીયો / વીડીયો ફાઈલ હોય તો Email : myvadgam@gmail.com ઉપર મોકલી આપવા વિનંતી છે.