Join વડગામ ગામ ઓનલાઈન ગ્રુપ ON ફેસબુક (માત્ર વડગામ ગામ ના મુળ વતની હોય તેઓ માટે )
Join વડગામ તાલુકા ઓનલાઈન ગ્રુપ ON ફેસબુક (માત્ર વડગામ તાલુકા ના મુળ વતની હોય તેઓ માટે )
Join vadgam.com Page ON Facebook (Open for all Visitors)
Join My Blog on Planetnl (Open for all Visitors)
કોઈ પણ ગામની રચના પાછળ કોઈને કોઈ કથા છુપાયેલી હોય છે.વડગામ મહાલના મેજરપુરા ગામની રચનામાં પણ ઐતિહાસિક કથા છુપાયેલી છે.આ ગામની રચના કેવી રીતે અને કેવા સંજોગોમાં થઈ એનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે.
પાલણપુર સ્ટેટના શાસન વખતે ભાખર ગામ માં ભાટી,ચૌહાણ.ડોડીયા,પરમાર જેવી અટક ધરાવતા રાજ્પૂતો રહેતા હતા.વિક્રમ સવંત ૧૮૮૫માં આ રાજ્પૂતોને ગામના જ પાલવી દરબારો સાથે કજીયો થયો હતો.દરમિયાન એ અરસામાં ગામના બે રાજપુત બાદરજી ભાટી અને વખતસિહજી ભાટી ગામના ભાઈઓ ઉપર વાઘે હુમલો કર્યો હતો.વાઘ વખતસિહને કાંડા માંથી પકડી બોડમા ઘસડી ઘયો હતો ત્યારે મા જણ્યા ભાઈને બચાવવા ઝનુનમાં બાદરજી બહાદુરીપૂર્વક વાઘની બોડમા ઘુસી ગયા હતા.બાદરજીએ વાઘનો સામનો કરી ભાઈ વખતસિહને તો છોડાવી લીધા પણ હાથમા આવેલા શિકારને મોમાંથી છોડાવી જનાર બાદરજી ઉપર ક્રોધે ભરાયેલા ખુંખાર વાઘે બાદરજીના માથા માં પંજો મારી લોહી લુહાણ કરી દીધા હતા.વખતસિહને બચાવીને ઘેર લઈ આવેલા બાદરજીને એ વખતે દરબારોએ આવીને તેમના ઘા ઉપર મીઠુ ભરવાની સલાહ આપતા તેઓએ ભોળપણ માં એ સલાહને અનુસરતા મીઠાની આડઅસરથી ઝેર ચડી જતા બાદરજી થોડા સમયમા જ મૃત્યુ પામ્યા હતા.એ વખતે તેઓના કુટુંબીજનોને સ્મશાનમાજ એ વાતનો અહેસાસ થયો કે,આ તો જુના કજિયાનુ વેર વાળવા દરબારોએ ખોટી સલાહ આપી હતી.જેમા બાદરજીને ગુમાવવાનો વારો આવ્યો હતો.,બસ એ જ ઘડીએ રાજ્પુતોએ આવુ ગામ છોડી દેવાનો સંકલ્પ કરી લીધો.
બીજા જ દિવસે રાજપુત સમાજના આગેવાનો પાલણપુર આવીને નવાબ સાહેબને મળ્યા અને તમામ ઘટનાથી વાકેફ કરી પોતાનો ગામ છોડી દેવાનો મનસુબો જાહેર કરી પોતાના વસવાટ માટે રાજ માં નવુ ગામતળ ફાળવવાની વિનંતી કરી.પોતાની રૈયતના દુ:ખે દુ:ખી અને સુખે સુખી રહેતા પાલણપુરના પ્રજાપ્રેમી રાજવીએ તરત જ રાજપુતોની માંગણી ગ્રાહ્ય રાખી તેમને ત્રણેક જગ્યાઓ બતાવી,જેમાંથી એક ગામતળ રાજપુતોએ પસંદ કરતા અહી ગામ વસાવાયુ હતુ.આ ગામ વસ્યા બાદ પાલણપુર નવાબે ગામની મુલાકાત લેતા રાજ્પુત આગેવાનોએ ગામ માટે ગામતળ આપનાર નવાબ સાહેબને જ ગામનુ નામ આપવાની વિનંતી કરતા જોગાનુજોગ એ જ અરસામા પાલણપુર નવાબ તાલેમહમદખાનજી સાહેબને મેજરનો ઇલ્કાબ મળેલ હોઈ તેઓએ મેજર પરથી મેજરપુરા નામ રાખવાનુ સૂચન કરતા આગેવાનોએ આ નામનો સહર્ષ સ્વીકાર કરી લીધો હતો.આ ગામની સ્થાપના ચૈત્ર સુદ પૂનમ વિક્રમ સવંત ૧૮૮૬મા થઈ હતી.આ ગામ માં હાલમા પણ રાજ્પુતો હળીમળીને રહે છે.
સમરસ ગ્રામ પંચાયત - એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર પસંદ કરવો અને ચુંટણી ન થવા દેવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત્ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ યોજના મુજબ જે ગામમાં ગ્રામ પંચાયત ની એક જ ઉમેદવાર હોવાને કારણે ચુંટણી કરવાની જરુર ન પડે, તેવી પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે તેમ જ આ પ્રકારની ગ્રામ પંચાયતને વિશેષ અનુદાન આપવામાં આવે છે.
વર્ષ -૨૦૧૧ ની વડગામ તાલુકામા નીચે મુજબ ની કુલ ૧૫ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે.
જલોત્રા , ભાંગરોડીયા , શેરપુરા (મ.) , ચંગવાડા , મેમદપુર , એદ્રાણા , સલેમકોટ , ફતેગઢ , નાનોસણા ,માનપુરા ,ધનાલી ,નાની ગીડાસણ , કોદરાલી , પીરોજ્પુરા, કરશનપુરા.
આમ વડગામ તાલુકામાં ૧૧૦ ગામોની ૮૨ ગ્રામપંચયતો પૈકી ૭૭ ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી પૈકી ૧૫ ગ્રામ પંચાયત સમરસ થતા ૬૨ ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાશે.
સમરસ ગ્રામ પંચાયતોને સરકાર શ્રી તરફથી વિવિધ અનુદાન આપવામા આવે છે ,તે મુજ્બ વડગામ તાલુકાની ઉપરોક્ત ગ્રામ પંચાયતો આ અનુદાન મેળવવા હકદાર બને છે.આ અનુદાન વિશે માહિતી મેળવવા માટે નીચે ની લિંક ઉપર ક્લિક કરો.
સમરસ ગ્રામ યોજના