ગુરૂ મહારાજ પાવન સ્થળ : શ્રી સંજયભાઇ જોષી
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરથી અંબાજી હાઇવે પર લગભગ અઢાર કિલોમીટર દૂર જલોતરા રૂડું ગામ છે. આ ગામની પૂર્વમાં ત્રણ કિલોમીટર દૂર કરમાવાદ નામનું નાનકડું ગામ છે, જે પ્રાચીન સમયમાં ‘કર્ણનગરી’,હિરવાણીનગર કે કરીમાબાદ તરીકે જાણીતું હતું. આ નગરના અવશેષો આજે પણ કરમાવાદ ગામની સીમમાં જોવા મળે છે. આ નગર એક સુંદર તળાવના કિનારે વસેલું હતું. જે”સારસ્વત ક્ષેત્ર” કે”કરમાવાદ તળાવ” તરીકે જાણીતું છે. આ કરમાવાદ ગામની સીમમાં અરવલ્લી પર્વતની વિશાળ પર્વતમાળા આવેલી છે. આ પર્વતમાળાની ટેકરીઓને જુદાજુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે “ ગુરુનો ભોખરો”, “ટુંડાવનો ભોખરો”, “ધોરી પાવઠી નો ભોખરો”, “પાણિયારીનો ભોખરો” વગેરે.
ગુરૂ નો ભોખરો અને ગુરૂ શ્રી ધૂંધળીનાથ
આ બધીજ ટેકરીઓમાં ગુરૂનો પહાડ સૌથી ઉંચો છે. જે “ ગુરૂના ભોખરા” તરીકે ઓળખાય છે. આ ભોખરા ઉપર ગુરુ શ્રી ધૂંધળીનાથની પ્રાચીન ગુકા આવેલી છે. જ્યાં ગુરુ બાર વર્ષ સુધી રોકાયા હતા. આ ગુફામાં એમણે તપ 5 คู่. ‘GUJARAT STATE GAZETTEERS’ BANASKANTHA DISTRICT ના જનરલ વિભાગ, CHEPTER – 01 ના, વડગામ તાલુકો પેજ નંબર 09 ઉપર, આ સ્થાનની વિસ્તૃત નોંધ છે. GAZETTEERS ના જણાવ્યા મુજબ:-
” વડગામ તાલુકાના કાંઠાનો ભાગ ડુંગરાળ છે. તેમાં ધોરી – પાવઠી નજીક ધૂંધળીમલ, જોઈતા, પાંડવા, નવોવાસ, ટુંડાનો પહાડ જેવા પર્વતોનો સમવેશ થાય છે. આ તમામ પર્વતોમાં જલોત્રા ગામની પૂર્વ દિશામાં અરવલ્લી ટેકરીઓની શ્રેણી ઉલ્લેખને પાત્ર છે. આ શ્રેણીમાંના નાના ટેકરાઓને નીચેના નામથી ઓળખવામાં આવે છે, જેમ કે ગુરુનો ભોખરો, ટુંડાનો ભોખરો, પાણીયારીનો ભોખરો વગેરે.
જલોત્રા ગામથી ૩ માઇલ (4.8 કી.મી.) દુરથી ડુંગરાળ પર્વતમાળાઓ શરુ થાયછે. તે તમામ ટેકરીઓમાંથી ‘ગુરુ નો પહાડ’ સૌથી ઉંચો; લગભગ 4000 ફીટ છે અને તેનો આકાર ઝુમ્મર જેવો છે. આ ટેકરીઓ પર ધૂંધળીમલની ગુફા આવેલી છે. જ્યાં ગુરુ બાર વર્ષ સુધી કઠીન તપશ્ચર્યા માટે રોકાયા હતા. આ જિલ્લામાંથી અને આસપાસના મહેસાણા અને સાબરકાંઠા જીલ્લાઓમાંથી લોકો ભૂતકાળમાં અને હાલમાં પણ ગુરુની મૂર્તિના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે.
ગુરુ મહેસાણા જીલ્લાના પાટણના રહેવાશી હતા. તેઓ સંત હતા અને સ્વભાવે કઇક ઉગ્ર હતા. તેઓ આ ગુફામાં રોકાયા હતા. તેમણે અનેક ચમત્કાર કર્યા હતા અને આ ડુંગરમાં સમાધિ લીધી હતી. આજે પણ લોકો તેમના માટે ઊંડો આદર ધરાવે છે. ગુરુ સંતાન પ્રાપ્તિ માટે પ્રસન્ન થાય છે. મોટી સંખ્યામાં લોકો ચોટી ઉતરાવવા અને બાધા પૂર્ણ કરવા આ સ્થાનની મુલાકાત લે છે. બનાસકાંઠા જીલ્લાના અને આજુબાજુના લોકો અહીં આવે છે અને મહા સુદ પાંચમના દિવસે મોટો મેળો ભરાય છે. ઉનાળામાં વાંસ અને કેસુડાંના ફૂલો ખીલી ઉઠે છે. ડુંગરમાં આખું વર્ષ પાણી રહેતું હોવાથી આ જગ્યાને પાણીયારી કહેવામાં આવે છે.
સિદ્ધપુરના બ્રાહ્મણો સમુહમાં સંઘ લઈને વસંત પંચમીના દિવસે આ પર્વત ઉપર ગુરુના દર્શને આવે છે. ધૂંધળીમલ ગુફામાં રહેવાની પણ સુવિધા છે. ધૂંધળીમલ પાસે બીજી ટેકરી રાકેશ્વરની છે. તેની પશ્ચિમ દિશામાં કર્માવતની ટેકરી આવેલી છે. જલોત્રા ગામથી લગભગ 3.2 કિ.મી દૂર ટુંડાવની ટેકરી પણ छे.”
આજથી લગભગ 80 વરસ પહેલા ગુરુદેવના અનન્ય ભક્ત એવા સિદ્ધપુરના મોતીરામ મહારાજે અહીં ગુરુની મૂર્તિની સ્થાપના કરી હતી.મૂળ મગરવાડા ગામના લેખક શ્રી કિશોરસિંહ સોલંકી દ્વારા લખાયેલ ‘અરવલ્લી’ પુસ્તકમાં આ સ્થળનું રળિયામણું વર્ણન કરેલું છે.
પુસ્તક શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ અને ગુરૂનો ભોખરો – જીવન ચરિત્ર અને પરિચય માંથી સાભાર
લેખનકર્તા : શ્રી સંજયભાઇ જોષી
પ્રકાશક :- શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવ્સ્થાન સમિતિ : કરમાવાદ – જલોતરા