Fb-Button

Author: Nitin

વડગામમાં આવેલ પ્રાચિન અને ઐતિહાસિક બ્રહ્માણી માતાના સ્થાનકે શતચંડી યજ્ઞ યોજાયો.

વડગામમાં પ્રાચિન અને શ્રધ્ધાનું પ્રતિક સમું મા બ્રહ્માણીનું મદિર આવેલું છે. આશરે ૯૦૦ થી ૧૦૦૦ વર્ષો પહેલા આ મંદિર બનેલ હોવાનું માનવામાં આવે છે એ દ્રષ્ટિ એ તેનું ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે.એક સમયે આ મંદિરની જાહોજલાલી હતી નવરાત્રી ટાણે… આગળ વાંચો

રૂપાલનું શીતળામાતાનું પુરાતન મંદિર

વડગામ તાલુકાના રૂપાલ ગામે શીતળા સાતમનો મોટો મેળો ભરાય છે. જેમાં પચીસ હજાર જેટલા શ્રદ્રાળુ ભાવિકો એકઠા થાય છે. અહીં શીતળા માતાનું આઠસો વર્ષ પુરાણું પુરાતન મંદિર અનેક શ્રદ્રાળુઓને આશીર્વાદરૂપ બનતાં, દિન પ્રતિદિન ભાવિકોની શ્રદ્રા વધતી રહે છે. આમ જોઈએ… આગળ વાંચો

કરોડોમાં એક……ક્યારેક !

વડગામના બજારમાં રામચંદભાઈ દરજી ઝભ્ભા અને ગાંધી ટોપીના સ્પેશ્યાલીસ્ટ ગણાતા હતા.એક દિવસ એમની દુકાનમાં પરસેવે રેબઝેબ એવી એક ખાદીધારી વ્યક્તિ આવી.આવતાં જ લાગલું કહ્યું.”આ જોને ભાઈ રામચંદ ! આ ઝભ્ભો પીઠેથી અને બાંયેથી ફાટીગયો છે.લે સહેજ થીગડાં મારી દે”કહીને આવનારે… આગળ વાંચો

દાડમની ખેતી – નગાણા ફાર્મહાઉસની મુલાકાત…

સમયના પરિવર્તનની સાથે અનેક ક્ષેત્રોમાં પણ પરિવર્તન આવતું હોય છે,તેવું જ એક ક્રાંતિકારી કહી શકાય તેવું પરિવર્તન વડગામ તાલુકામાં ખેતીવાડી ક્ષેત્રે દેખાઈ રહ્યું છે.તાલુકાના અમુક પ્રગતિશીલ કહી શકાય તેવા ખેડૂતોએ નવી રાહ અપનાવતા પરંપરાગત ઘંઉ,બાજરી,એરંડા,રાયડો વગેરે પાકોની ખેતીની જગ્યાએ સમયને… આગળ વાંચો

‘સાઈબર કોપ’ કિરણ પટેલ : કામ જહેમતભર્યુ, પણ અશક્ય તો નહી જ…

[તાજેતરમાં આંતરરાષ્ટ્રિય ગુજરાતી મેગેઝીન  ચિત્રલેખાના ૧૮ માર્ચના અંકમા ‘સાઈબર ક્રાઈમ ગુનાનું નવું માધ્યમ’ વિષય ઉપર વિશેષ અહેવાલ પ્રસિધ્ધ થયો,જેમાં વડગામ તાલુકાના વડગામ ગામના વતની અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પોલીસ અધિકારી તરીકે કાર્યરત શ્રી કિરણભાઈ પી.પટેલની સાઇબર ગુનાઓ ઉકેલવાની વિશેષ કાબેલિયત… આગળ વાંચો

ધુળેટી…

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ  સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક  ‘સુગંધનો  સ્વાદ’ માંથી  ધુળેટી તહેવાર વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]   ગામના ઢોલીઓ ઢોલ… આગળ વાંચો

હોળી…

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ  સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક  ‘સુગંધનો  સ્વાદ’ માંથી હોળી તહેવાર વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]   તમોને શ્યું વાત… આગળ વાંચો

ગુજરાતી ગીત-સંગીત ક્ષેત્રે વડગામ તાલુકાનું ગૌરવ કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવ.

વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે ફરજ બજાવતા કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવને હમણાં મગરવાડા અને પાલનપુર મુકામે મળવાનું થયું.તેમની મુલાકાત દરમિયાન તેમની ગુજરાતી સંગીતક્ષેત્રે પ્રદાન અને આપણી લોકસંસ્કૃતિ ના પ્રસાર નું જે… આગળ વાંચો

સ્વ.શ્રી ઓખાભાઈ નરસંગભાઈ ગોળ

‘ઓખાકાકા’ ના હુલામણા નામથી ઓળખાતા સ્વ.શ્રી ઓખાભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૨ માં માતા હિરાબેનની કુખે સ્વ.નરસંગભાઈ ગોળના ઘેર વડગામ તાલુકાના જલોતરા ગામે થયો હતો. સ્વ.શ્રી ઓખાકાકાએ તેમના પ્રભુત્વશાળી વ્યક્તિત્વ,પ્રખર બુદ્ધિમતા, ગજબની કોઠાસૂઝ, સ્વભાવે સૌમ્ય, નિખાલસ, સદાય પ્રસન્નચિત્ત  અને હકારાત્મક અભિગમથી લોકચાહના… આગળ વાંચો

ગુરુનો ભોંખરો….

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ  સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત લલિત નવલકથા ‘અરવલ્લી’ માંથી વડગામ તાલુકાના મુમનવાસ પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ગુરુના ભોંખરા વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે… આગળ વાંચો
View More
Fb-Button